મોરબી નગરપાલિકા તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે હાલ મોરબી શહેરના સરદારબાગ તેમજ પંચાસર રોડ પર આવેલા પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોવાથી મોરબી પાલિકા દ્વારા તારીખ 11 12 તેમજ 13 સપ્ટેમ્બર ના રોજ મોરબી શહેરના લોહાણા બોર્ડિંગ વિસ્તાર શક્તિ પ્લોટ કાયાજી પ્લોટ દાઉદી પ્લોટ રાપર રોડ સનાળા રોડ કેનાલ રોડ ભક્તિનગર સર્કલ પંચાસર રોડ ચિત્રકૂટ સોસાયટી તેમજ લતી પ્લોટના આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ અનિયમિત રહેશે જેથી શહેરીજનોને અગામી ત્રણ દિવસ દરમિયાન વેડફાટ ન થાય તેમજ જરૂરિયાત પાણીનું અગાઉથી આયોજન મુજબ સંગ્રહ કરી રાખે તેવી મોરબી પાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે

