HomeGujaratવેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં જાડેજાને આરામ અપાશે, ગંભીર છે ઇજા

વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં જાડેજાને આરામ અપાશે, ગંભીર છે ઇજા

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. ભારતે શિખર ધવનની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે, જે શુક્રવારથી શરૂ થશે, પરંતુ સમાચાર છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

આવું છે કારણ: જાડેજાને પગમાં ઇજા થઇ છે. એના ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. ભારતે શિખર ધવનની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે, જે શુક્રવારથી શરૂ થશે, પરંતુ સમાચાર છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ઘૂંટણની ઈજા. આપી શકાય.

ક્રિકબઝના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાને તેના ઘૂંટણની ઈજાનો સામનો કરવા માટે આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તે આગામી શ્રેણી માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે. રવિન્દ્ર જાડેજા ટીમનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે અને આગળ એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ 2022 જેવી મહત્વની ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે જેના માટે તેનું ટીમમાં હોવું ખૂબ જ જરૂરી છે

જોખમ નહીં લે: આ બધાને જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટ અથવા પસંદગીકારો કોઈપણ પ્રકારનું જોખમ લેતા નથી. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા આઈપીએલ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ તે ટીમની બહાર ચાલી રહ્યો હતો. આ દરમિયાન તે ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં ભાગ લઈ શક્યો નહોતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW