વાંકાનેરના રાતાવીરડા ગામમાં આવેલ યશદીપ સિરામિકમાં રહેતા રાજુભાઈ પાનસિંગભાઈ ભુહા નામના શ્રમિકની 2,5 વર્ષની પુત્રી સીતાને બે દિવસ પહેલા અચાનક પેટમા દુખાવો અને શ્વાસ ચડતો હોવાથી વાંકાનેર સિવિલમાં પ્રાથમીક સારવાર માટે ખસેડાઈ હતી ત્યાર બાદ વધુ સારવાર માટે શ્રધ્ધા હોસ્પીટલ વાંકાનેર ખાતે બાદમાં રાજકોટ સિવિલમાં બે બેભાન હાલતમા કે.ટી.ચિલ્ડ્રન
વોર્ડમાં ખસેડાઈ હતી જોકે રાજકોટમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું આ અંગે ફરજ પરના તબીબે તપાસ કરીને ન્યુમોનિયાના કારણે મરણ હોવાનું જણાવ્યુ હતું બાદમાં મૃતકને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી બનાવ અંગે પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી

