વાંકાનેરના એસટીના કર્મચારી કવિતા મલયભાઈ ભટ્ટે વાકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવો હતી જે મુજબ એસટીના ગોધરા વિભાગમાં બુકિંગ એજન્ટ તરીકે કામ કરતા સંજય આર બારિયા તેમજ વિપુલ ભગા મોહનિયાએ એસટી વિભાગના કર્મચારીના યુઝર આઈ ડી મેળવી લીધા હતા અને જાન્યુઆરીથી મે ૨૦૨૨ દરમિયાન ઓનલાઈન ટીકીટ બુકીગ કરી હતી અને તેમાંથી વાકાનેર કેન્દ્ર રૂ 56381ની કીમતની 252 ટીકીટ તેમજ અન્ય કેન્દ્રની રૂ 88,001ની 374 ટીકીટ મળી કુલ 1,44,382ની રકમ રીફંડ મેળવી પોતાના ફાયદા માટે વાપરી નાખી એસટી વિભાગને નુકશાને પહોચાડ્યું હતું ફરિયાદ આધારે પી.આઈ.એન એ વસાવાએ તપાસ હાથ ધરી હતી

