આહીર સમાજના આસ્થાના પ્રતીક એવા માળીયા તાલુકાના વવાણીયા ગામ ખાતે આવેલ રામબાઇ જગ્યાના મહંત જગન્નાથજી મહારાજે આજે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને બ્રહ્મલીન થયા હતા. મહંત જગન્નાથજી મહારાજનું આજે સવારે દેહાવસાન બાદ થતાં ભક્તોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. .જગન્નાથજી મહારાજના બ્રહ્મલીન થવાના સમાચાર મળતા ગામે ગામથી આહીર સમાજ તેમજ અન્ય સમાજના લોકો મળી 5000થી વધુ લોકો વવાણીયા ગામે આવી પહોંચ્યા હતા સાંજે 4 વાગ્યે મહંતની પાલખી યાત્રા વાગ્યે બેન્ડબાજા સાથે નીકળી હતી

