HomeGujaratCentral Gujaratજીજ્ઞેશ મેવાણી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં,આસામ કોર્ટે આપ્યો આદેશ

જીજ્ઞેશ મેવાણી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં,આસામ કોર્ટે આપ્યો આદેશ

આસામના કોકરાઝાર જિલ્લાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે ગુરુવારે ગુજરાતના ધારાસભ્ય અને દલિત કાર્યકર્તા જીગ્નેશ મેવાણીની જામીન અરજી ફગાવી દીધી હતી.તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. CJM કોર્ટના આદેશ પછી મેવાણીના વકીલોએ મીડિયાને કહ્યું કે તેઓ જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરશે. આ પહેલા ગુરુવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધરપકડ અંગે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે તેઓ મેવાણીની ઓળખ કે તેમની ધરપકડ વિશે જાણતા નથી. આસામ પોલીસે મેવાણીની ધરપકડના વિગતવાર કારણો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

જે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર પણ છે. જો કે, અન્ય એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મેવાણીની ધરપકડ તા.18 એપ્રિલે કરવામાં આવેલા ટ્વીટ થકી કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સંબંધમાં કરવામાં આવી હતી. ગુજરાતના વડગામ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા મેવાણીની બુધવારે રાત્રે આસામ પોલીસની એક ટીમે ગુજરાતના પાલનપુર શહેરમાંથી ધરપકડ કરી હતી. મેવાણીને ગુરુવારે સવારે ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા. આસામ રાજ્ય કોંગ્રેસ એકમ, જેણે ગુજરાત ધારાસભ્યની ધરપકડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે મામલાની તપાસ માટે પોતાની કાનૂની ટીમ કોકરાઝાર મોકલી છે. આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ આક્ષેપ કર્યો હતો કે આ પોલીસનું કાવતરું અને ગુંડાગીરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW