મોરબીના જેતપર ગામમાં રહેતા મૂળ કચ્છ જિલ્લાના બળદિયા ગામના વતની નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જાકાસણીયાના પિતા પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયા ગત તા 7 માર્ચના રોજ બપોરના સમયે તેમનું જીજે ૩ ઇકે 9168 નંબરનું બાઈક લઈને હળવદ માળિયા હાઓવે પરથી પસાર થતા હતા તે દરમિયાન અણીયારી ટોલ નાકા પાસે જીજે 5 જેપી 4777 નંબરની કારના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઈજા પહોચતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તપાસ હાથ ધરી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અક્સ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

