મોરબી જીલ્લામાં કોરોનાની ત્રીજી લ્હેર શાંત થઇ જતા જિલ્લામાં હાલ નહિવત કેસ આવી રહ્યા છે મંગળવારે માત્ર 2 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ 2 દર્દીમાં વાંકાનેરમાં 1 અને ટંકારામાં 1 દર્દી પોઝીટીવ આવ્યા હતા જયારે મોરબી હળવદ અને માળિયામાં એક પણ નવો કેસ આવ્યો ન હતો બીજી તરફ 16 દર્દી સ્વસ્થ પણ થયા હતા આ 16 દર્દીમાં મોરબીમાં 09 વાંકાનેરમાં 05અને ટંકારામાં 2 દર્દી સ્વસ્થ થતા જીલ્લામાં એક્ટીવ કેસનો આકડો માત્ર 27 જ રહ્યો છે મોરબી જિલ્લામાં કોરોનાની આજ દિન સુધીની સ્થિતિ જોઈએ તો 503725 લોકોના આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી10,738 દર્દી સતાવાર રીતે પોઝીટીવ આવ્યા હતા જયારે 10 362 દર્દી સાજા થયા હતા જયારે 95 દર્દીના મોત થયા હતા.

