નવી દિલ્હી,બુધવાર
કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે સરકારે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જમા કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર આપવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. પેન્શન મેળવવા માટે પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર આપવું પડશે.
સિંઘે જણાવ્યું હતું કે પેન્શનરો આ પ્રમાણપત્ર વિસ્તૃત સમયગાળા દરમિયાન શાખાઓની વ્યક્તિગત મુલાકાત લઈને અથવા ઑનલાઇન સિસ્ટમ દ્વારા ડિજિટલ રીતે સબમિટ કરી શકે છે. મંત્રીએ કહ્યું કે પેન્શન વિતરણ કરતી બેંકોને તેમની શાખાઓમાં ભીડ ન થાય તે માટે પર્યાપ્ત પગલાં લેવા અને સામાજિક અંતરનાં પગલાંનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
તમે કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો
તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. UDAI માન્ય ફિંગરપ્રિન્ટ ઉપકરણ પણ હોવું જોઈએ. આ પછી તમે સ્માર્ટફોન દ્વારા ઇમેઇલ આઈડી અને એપ્લિકેશનમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોના ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સ અથવા ટપાલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકો છે.
આ બેંકો સેવાઓ પૂરી પાડે છે
ભારતીય બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સુવિધા પુરી પાડે છે.તમે વેબસાઈટ (doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login) અથવા ‘ડોરસ્ટેપ બેંકિંગ’ મોબાઈલ એપ્લિકેશન, અથવા ટોલ ફ્રી નંબર (18001213721 અથવા 18001037188) નો ઉપયોગ કરી શકો છે.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે
ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો તેમના વિસ્તારની નજીકની પોસ્ટ ઑફિસમાં કોમન સર્વિસ સેન્ટર (CAC)માંથી સરળતાથી જીવન પ્રમાણ સેવાઓ મેળવી શકે છે. વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારત સરકાર પેન્શનર યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાને હલ કરવા માંગે છે. જેથી પ્રમાણપત્ર સરળતાથી મળી શકે.
અહીં અરજી કરી શકો છો
મોબાઈલ નંબર 7738299899 પર SMS મોકલીને નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર પર અરજીઓ અપડેટ કરી શકાય છે. SMS માં JPL હોવું આવશ્યક છે. તે તમારા વિસ્તારની આસપાસના કેન્દ્રોની યાદી મળશે.

