મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.3 મેના રોજ રવાપર ઘુંડલા રોડ ખાતેના વૈદહી પાર્ટી પ્લોટ ખાતે પાંચમા સમૂહ યગ્ન પવિત સંસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 16 વર્ષ બાદ યોજાઇ રહ્યું છે અગાઉ સમૂહ જનોઈ ધારણ કાર્યક્રમ વર્ષ 2010માં યોજાયો હતો. આ વર્ષના મંડળના આયોજનમાં કુલ 48 બટુક યગ્નોપવિત સંસ્કાર ગ્રહણ કરી જનોઈ ધારણ કરશે.
તા. 2 મેના રાત્રિના આઠ થી શરૂ થનારા કાર્યક્રમમાં રાત્રિના સમયે રાસ રમઝટનું આયોજન કરાયું છે જ્યારે તા.3 મે રવિવારના રોજ સવારે 6:45ના રોજ મંડપ મુર્હૂત થશે. સવારે 8:45 વાગ્યે ગૃહ શાંતિ અને સવારે 9:45 વાગ્યે યોગ્નોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાશે. જ્યારે દાતાઓના સન્માન સમારોહ સવારે 11 કલાક દરમિયાન યોજાશે. 11:45ના રોજ કાશ્મીર યાત્રા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંત મહામંડલેશ્વર જાનકીદાસ મહારાજ સાધ્વીજી હંસાગીરી માતાજી ઉપસ્થિત રહી આર્શીર્વચન પાઠવશે.

