મોરબીમાં ફરજ બજાવતા અને સામા કાઠા વિસ્તારમાં આવેલ પીજીવીસીએલના ક્વાર્ટરમાં રહેતા જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામી નામના વીજ કર્મી ગત 6 નવેમ્બરના દરમિયાન તેમના પરિવાર સાથે તેમના વતન ભાવનગર ગયા હતા ગત 26 જાન્યુઆરીના રોજ તેઓ પરત ફર્યા ત્યારે તેમના ક્વાર્ટરમાં તાળા તૂટેલી હાલતમાં અને અંદરનો સામાન વેર વિખેર હાલતમાં મળી આવતા તેમના કવાર્ટરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું જઘરમાં તપાસ કરતા તિજોરીનો લોક તોડી અંદર રાખેલ સોનાની બુટી જોડી,વિટી, તથા ચાંદિના દાગીના અને રોક્ડ રૂ.25000 મળી કુલ રૂ 66,000 રોકડાની ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

