HomeGujaratCentral Gujaratઅમદાવાદઃ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળી, ભક્તિમય માહોલ બન્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળી, ભક્તિમય માહોલ બન્યો

અમદાવાદમાંથી આજે બે વર્ષના અંતરાલ બાદ દબદબાભેર જગન્નાથની 145મી રથયાત્રા નીકળી રહી છે. વિતેલા બે વર્ષોમાં મહામારીને કારણે રથયાત્રાનું આયોજન ન હોતું થઈ શક્યું. આ વર્ષે રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાથ મંદિરને રંગ રંગની લાઇટથી શણગારવામાં આવ્યું છે,રથયાત્રાની પૂર્વ સંધ્યાથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી ગયા છે. સવારે 7.05 કલાકે જગન્નાથ મંદિરેથી નીકળનારી રથયાત્રા નગરનું ભ્રમણ કરીને રાત્રે સાડા આઠ વાગ્યે નિજ મંદિર પરત ફરશે.

સવારે 07.05 કલાકે જગન્નાથ મંદિરેથી રથયાત્રાએ પ્રસ્થાન કર્યું. ભક્તોની હૈયાથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજોએ લીધી હતી. મંદિરેથી નીકળેલી રથયાત્રા સૌ પહેલા દાણાપીઠમાં આવેલી કોર્પોરેશનની ઓફિસે પહોંચશે.

Cm એ કરી પહિન્દ વિધિ: સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાથી તેઓ પહિંદ વિધિ કરી શકશે કે નહીં તે સવાલ ઉભો થયો હતો. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે આજ સુધી સીએમ સિવાયના કોઈ વ્યક્તિએ પહિંદ વિધિ કરી હોય તેવું નથી બન્યું. જોકે, સીએમની તબિયતમાં સુધારો થતાં તેઓ આજે પહિંદ વિધિ માટે આવી પહોંચ્યા હતા.

અમિત શાહે કર્યા દર્શન: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વર્ષોથી મંગળા આરતીમાં હિસ્સો લેવાની પરંપરા જાળવી રાખી છે. આજે પણ તેઓ સવારે ચાર વાગ્યા પહેલા જ મંદિર પહોંચી ગયા હતા. આરતી પૂરી થયા બાદ પણ તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ મંદિરમાં બેઠા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW