મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ગત તા. 11 એપ્રિલના રોજ એક દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. જીજે-36-ડબ્લ્યુ-1358 નંબરની રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા બેદરકારીપૂર્વક અને તેજ ગતિએ હંકારતા, તેમાં બેઠેલી વર્ષાબેન મુનેશભાઈ પરમાર (ઉંમર 41, નિવાસી નવી ટીંબડી) રિક્ષામાંથી રોડ પર પડી ગયા હતા.
આ અકસ્માતમાં વર્ષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મુનેશભાઈ નાનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

