વાંકાનેરના બોકડથંભામાં રહેતા જયેશભાઇ કાનજીભાઇ સરાવાડીયાએ GJ-12-BV-8468 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પિતા GJ-03-CK-6292 નંબરનું બાઈક લઇને આવતા હતા, ત્યારે પાછળથી આ આરોપી પોતાના હવાલા વાળો ટ્રક રજી.નં. GJ-12-BV-8468 વાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરી.ના પિતાના બાઈકને ઓવરટેક કરવા જતા પાછળના વ્હિલના જોટામાં લઈ લેતા કાનજીભાઇ મેરૂભાઇ સરાવાડીયા ઉ.વ.59 રહે.બોકડથંભા તા.વાંકાનેર વાળાને શરીરે વ્હિલ ફરી જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

