મોરબીના રાજવીઓ દ્વારા શહેરને યુરોપના દેશોના આર્કિટેક થી પ્રેરાઈ અનેક અવનવી ઈમારતો અને ઐતિહાસિક ધરોહર પૂરી પાડી હતી. એક સમય એવો હતો કે, મોરબી સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા મળતી હતી. આજના સમયમાં જયારે મહાનગરમાં રીવર ફ્રન્ટનો કલ્ચર જોવા મળે છે, પરંતુ મોરબીના રાજવી પરિવારે મોરબીને 19 અને 20 મી સદીમાં આ ભેટ આપી હતી. મહેન્દ્ર ડ્રાઈવ તરીકે જાણીતો પથ મોરબીનો રીવર ફ્રન્ટ સમાન હતો. દરબાર ગઢ થી પાડા પુલને જોડતા રોડ પરથી પસાર થાઓ એટલે જાણે કુદરતી હવા અને શહેરની ભવ્યતાના દર્શન કરાવતું હતું. જોકે બનેલા આ રોડની હાલત જેમ જેમ સમય ગયો તેમ તેમ ખરાબ થવા લાગી હતી. અગાઉ નગર પાલિકા દ્વારા આ રૂટને હેરીટેજ રૂટ તરીકે ડેવલપમેન્ટ કરવા પ્રયાસ કર્યો હતો અને તેના ભાગરૂપે કેટલા પ્રયાસ પણ થયા હતા જોકે ધીમે ધીમે ફરી સ્થિતિ જેવી છે તેવી બની ગઈ છે.
હવે મોરબી નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનતા ફરી એકવાર આ ઐતિહાસિક ધરોહરની કાયા પલટ યોજના બનાવી રહી છે. મનપા દ્વારા દરબાર ગઢ થી મયુર પુલ સુધીના જોડતા મહેન્દ્ર ડ્રાઈવ રોડની રૂ 48.96 લાખના ખર્ચ કાયા પલટ કરવા જઈ રહી છે. આ માટે મનપા દ્વારા એસ્ટીમેટ પ્રકિયા પૂર્ણ કરી દીધી છે અને આગામી દિવસમાં ઓનલાઈન ટેન્ડર પ્રકિયા હાથ ધરશે.
હાલ આ રૂટ પર જૂની તૂટેલી લોખંડની ગ્રીલ આવેલ છે. જે અકસ્માત સર્જી શકે તેમ હોવાથી સમગ્ર રૂટની ગ્રીલ બદલાશે, સાથે ઐતિહાસિક જલક આપે તેવી સ્ટ્રીટ લાઈટ લગાવશે આ ઉપરાંત પેવર બ્લોક બદલાવશે આ ઉપરાંત રોડની એક તરફ ફૂટપાથ પણ બનશે વોક વે પ્રકારનો હશે.