મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતા જયંતિલાલ છગનલાલ અમૃતિયા નામના આધેડ ગુરુવારે રાત્રે ગામની ગરબીમાં બેઠા હતા. જ્યાં તેઓને માતાજી આવતા ધુણવા લાગ્યા હતા. બાદમાં ફરી તેઓ ગરબી પાસે બેસી ગયા હતા આં દરમિયાન તેઓને છાતીમાં દુખાવો ઉપડતાં ત્યાં જ ઢળી પડતાં તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આધેડને અચાનક આવેલા હાર્ટ એટેકથી મોત થતા ગામમાં શોક નું મોજુ ફરી વળ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે પણ એક પોસ્ટ કર્મીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

