વાંકાનેરના તરકીયા ગામે રહેતા નીતાબેન મુન્નાભાઈ બાવડીયા નામના મહિલાએ ગત તા.- 04/09/2024ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું ગત તા.-5/09 ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

