Saturday, January 25, 2025
HomeGujaratરાજકોટમાં બનેલી ગેમની આગની ઘટના બાદ મોરબીના ચાર ગેમીંગ ઝોન બંધ કરાવ્યા

રાજકોટમાં બનેલી ગેમની આગની ઘટના બાદ મોરબીના ચાર ગેમીંગ ઝોન બંધ કરાવ્યા

મુખ્યમંત્રીએ કરેલ સૂચનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા તમામ ગેમિંગ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવાયા રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા ગેમીંગ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ 26 થી વધુ લોકોના દાજી જવાથી મોત નીપજ્યા હતા તેમજ હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સિવાય રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના તમામ સ્થળોએ ચાલતા ગેમીંગ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી હતી જેને પગલે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ શહેરમાં આવેલા થ્રીલ ચીલ, યોગાટા લેવલ અપ અને પાની ફેન વર્લ્ડ નામના ગેમીંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે તેમજ નવા આદેશ ન આવે ત્યાં સુધી તમામ ગેમીંગ ઝોન બંધ રાખવાના રહેશે તેવી પણ જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW