સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-2 ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.-20-05-2024 ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનો ને વિનંતી કરવામાં આવે છે તા.20-05-2024 ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરી જનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.