કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના લોકોને સરકારી યોજનાનો ઝડપી લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા હતા આ કાર્ડને હવે રાજ્ય સરકાર નાં નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે મોરબીમાં નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લા રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક ઈ-શ્રમ કાર્ડ ધારકોએ પોતાનું ઈ-શ્રમ કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. મોરબી જિલ્લામાં કુલ 14,274 ઇ-શ્રમ કાર્ડ ધારકો આવેલા છે. જેમાં 6900 જેટલા ઈ-શ્રમ કાર્ડધારકોના ઈ-શ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક થયેલ છે. આશરે 7500 જેટલા લોકોને ઈ-શ્રમ કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરવાના બાકી છે. જેથી ઈ-શ્રમ કાર્ડ ધારકોએ પોતાનું ઈ-શ્રમ કાર્ડ અને રાશન કાર્ડ લઇ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી 25 એપ્રિલ સુધીમાં લિંક કરાવી લેવા જીલ્લા પુરવઠા અધિકારી એ તાકીદ કરી છે. જે બહારના જિલ્લાવાસીઓ મોરબીમાં ઈ શ્રમ કઢાવ્યું હોય તે પણ આ પ્રક્રિયા દ્વારા રાશન કાર્ડ લિંક કરાવી શકે છે