વડોદરા ખાતેના હરણી તળાવની મજા માણવા ગયેલા બાળકો અને શિક્ષકોના કમકમાટી ભર્યા મોત ની ઘટના થી સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિવિધ સંગઠન અને આગેવાનો ઘટના અંગે દુખ વ્યક્ત કરી શોક પાળી રહ્યા છે ત્યારે મોરબીના બાર એસોસિએશનની ચુંટણી બાદ નવા હોદેદારો ની નિમણૂક થતા તમાંમ હોદેદારો અને સભ્યો ના સ્નેહ મિલન સમારોહનું અને સમુહ ભોજન નું આયોજન કરાયું હતું. જોકે આ ઘટનાને પગલે બાર એસોશિએશન દ્વારા કાર્યક્રમ રદ કર્યો છે તમામ મૃતકના આત્માની શાંતિ અર્થે પાર્થના કરી હતી તેમજ મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપ અગેચણીયા તેમજ અન્ય હોદેદારો એ જણાવ્યું હતું.

