મોરબીના અમરેલી ગામ તરફ જતા રોડ પર આવેલા અંબાજી ટાઉનશીપમાં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણા નામની મહિલાના ઘર બહાર રોડ પર વિલાસબેન પાર્થભાઈ સોની અને મુન્નીબેન બાબુભાઈ રાજપૂત નામની મહિલાઓ પાણી ઢોળતી હોય જેથી વર્ષાબેનના ઘર પાસે ગંદકી થતા બન્ને મહિલાઓને પાણી ન ઢોળવા બાબતે સમજાવતા બન્ને મહિલાઓએ ઝઘડો કર્યો હતો તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને વિલાસબેને પથ્થરના છુટા ઘા મારતા વર્ષાબેનના હાથના ભાગે ગંભીર ઈજા પહોચી હતી જે બાદ વર્ષાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેમણે આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

