Thursday, November 30, 2023
HomeGujaratCentral Gujaratવડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયો પથ્થરમારો, પોલીસે શાંતિ ડહોળવાંનું કૃત્ય, 2 શખ્સની અટકાયત

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયો પથ્થરમારો, પોલીસે શાંતિ ડહોળવાંનું કૃત્ય, 2 શખ્સની અટકાયત

Advertisement
Advertisement

વડોદરા શહેરમાં ગુરુવારના રોજ રામ નવમી પર્વ નિમિતે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ રામ નવમી પર દેશના ઘણા ભાગોમાં હિંસક અથડામણ થઈ હતી.આ વર્ષે પણ વડોદરામાં રામનવમી પર આવી જ ઘટના બની હતી. આ વખતે પણ કેટલાક તોફાની તત્વોએ વાતાવરણ બગાડવાનું કામ કર્યું છે.

મળતી માહિતી મુજબ, રામજીની સવારી ભુતલી ઝાંપા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો. કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ટુ-વ્હીલર્સને નુકસાન થયું હતું. તે જ સમયે, પથ્થરમારો પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી. પથ્થરબાજોની ઓળખ કરવા માટે પોલીસ સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરા ફંફોળી આવું કૃત્ય કરનાર તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે છેલ્લી મળતી માહિતી મુજબ પોલીસેબે શખ્સને ઝડપી લીધા હતા

સ્થળ પર પોલીસ દળ તૈનાત હોવાને કારણે હવે સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. ઘટના બાદ વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, “સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદની સામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ કોઈ તોડફોડ કે હિંસા થઈ ન હતી.” તેમણે કહ્યું, “શોભાયાત્રા જ્યારે મસ્જિદની સામેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકો એકઠા થયા હતા, પરંતુ સમજાવ્યા બાદ તેમને પાછા મોકલવામાં આવ્યા હતા. વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા આગળ નીકળી ગઈ હતી.”

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW