Tuesday, March 18, 2025
HomeGujaratરાજકોટના માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજના કામને લઇ વાહન વ્યવ્હાર બંધ કરાયો

રાજકોટના માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજના કામને લઇ વાહન વ્યવ્હાર બંધ કરાયો

રાજકોટ શહેરથી જામનગર અને મોરબી તરફ જવાના રસ્તાને જોડતા માધાપર ચોકડી પાસે ઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે.આ બ્રીજ બ્રીજની શરુઆત જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપથી શરુ થઇ હતી. આ બ્રીજનો જામનગર તરફથી આવતો રોડ વોરા સોસાયટી પહેલાં પૂર્ણ થતો હતો. માધાપર ચોકડી ઓવરબ્રિજના વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય આ જગ્યા પર બ્રીજની કામગીરી દરમ્યાન કોઈ આકસ્મિક ઘટના ન બને તેમજ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા માધાપર વિસ્તારમાં વાહનની અવર જવર પર પ્રતિબંધ મૂકતું જાહેર નામું બહાર પાડ્યું છે. આ સ્લેબના સેન્ટ્રિંગ માટે સમગ્ર ચોકડીમાં ટ્રાફિક મૂવમેન્ટ બંધ કરવામાં આવે છે.


માધાપર ચોકડી પાસે મુવમેન્ટ બંધ થતા વૈકલ્પિક માર્ગ શરુ કર્યા

  • અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડથી બેડી ચોકડી જતાં તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ જઈ જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપથી યુ ટર્ન લઈ બેડી ચોકડી તરફ જઈ શકસે..
  • બેડી ચોકડીથી અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડ ( ફક્ત શહેર તરફ જતા ) તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઈ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડીવાઇડરથી યુ ટર્ન લઈ અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડ તરફ જઈ શક્સે..
  • બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાના/ટંકારા થઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહી..
  • બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા ટું/થ્રી/ફોર વ્હીલ વાહનો /નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરિયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઈ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટું/થ્રી/ફોર વ્હીલ વાહનો /નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષી ચોક રેલવે નગર અંડર બ્રિજથી શહેર તરફ જઈ શકશે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,222FollowersFollow
2,630SubscribersSubscribe

TRENDING NOW