વિધાનસભાની ચૂંટણી ને લઈને ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને લઈને અવઢળમાં છે ત્યારે આજે ભાજપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેવી શક્યતાઓ વચ્ચે ભાજપના અનેક સિનિયર આગેવાનોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયદ્રથસિંહ પરમાર, કૌશિક પટેલ,સૌરભ પટેલ, પ્રદીપસીહ જાડેજા સહિત અનેક આગેવાનોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે
દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટી બોર્ડમાં ટિકિટ ને લઈ મંથન ચાલી રહ્યું છે એવામાં ભાજપના જુના જોગીઓ અને સિનિયર આગેવાનો અચાનક જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરતા રાજકારણ ગરમાયુ છે જોકે આ સિનિયર આગેવાનો અગાઉ ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા હતા તેવામાં ઉમેદવારના લિસ્ટ જાહેર થાય તે પહેલા જ અચાનક ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરતા અનેક નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપી શકે છે