કેજરીવાલ રાજ્યમાં સતત જાહેર સભાઓ કરી રહ્યા છે. રવિવારે વલસાડમાં જનસભાને સંબોધતા CM અરવિંદ કેજરીવાલે સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે જાહેર સભામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે દરેક પોતાની મરજીથી આવ્યા છે, દરેક લોકો પરિવર્તન માટે આવ્યા છે.
તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનવા જઈ રહી છે. એમ પણ કહ્યું કે અમે એકે એક વચન પૂરું કરીશું અને તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશું. ગુજરાતની જનતા સાથે મળીને નવા ગુજરાતનું નિર્માણ કરીશું. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર માટે પોતાની જાણીતી શૈલીમાં BJP પર નિશાન સાધ્યું હતું.CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું તમારા લોકોનો ખૂબ જ આભારી છું, હું હૃદયથી આભારી છું, તમે કેટલો સમય લઈને આવ્યા છો, તમે આટલા કલાકોથી અમારી રાહ જોઈ રહ્યા છો, હું તમને એક જ વિશ્વાસ આપવા માંગુ છું કે, તમારું ઋણ સરકાર બનતા જ તેનું વળતર મળશે.
એકે એક વચન પુરું કરીશું, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશું, ગુજરાતની જનતા સાથે મળીને નવા ગુજરાતનું નિર્માણ કરીશું. 1 ડિસેમ્બરે સરકાર બનશે તો સૌથી પહેલું કામ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું છે. આ લોકોએ ગુજરાતને લૂંટ્યું. 27 વર્ષમાં કોઈ કસર છોડી નથી. કોઈ નેતા પાસે ચાલ્યા જાઓ કામ લઈને તો કહો છે કે, સરકાર ખોટમાં ચાલી રહી છે. તેમનો ગુજરાતમાંથી એક ધારાસભ્ય છે, ચૂંટણી લડતા પહેલા તેમની પાસે 4 એકર જમીન હતી, 5 વર્ષમાં તે 1000 એકર થઈ ગઈ.
આટલી જમીન તેણે ખરીદી, તેણે તેના બાળકો, તેના માતા-પિતા અને તેના નામ પર બંગલાઓ બનાવ્યા. તેમણે એટલું કહ્યું કે, ગુજરાતને એમ કહેવાય છે કે તેમની પાસે પૈસા નથી. ગુજરાત સરકાર ગુજરાતમાં દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, 2.5 લાખ કરોડ રૂપિયા એ ઘણું નાણું છે. તમે લોકો સવારથી સાંજ સુધી આટલો ટેક્સ ભરો છો, જનતા દરેક વસ્તુ પર ટેક્સ ભરે છે.