Thursday, May 16, 2024
HomeEntertainmentકાશ્મીરમાં ઇમરાન હાશ્મી પર પથ્થરમારો, થઈ ઇજા

કાશ્મીરમાં ઇમરાન હાશ્મી પર પથ્થરમારો, થઈ ઇજા

ઈમરાન હાશ્મી વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છે, જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે.

પહેલગામથી થોડે દૂર શૂટિંગ પૂરું કર્યા પછી, ઈમરાન પહેલગામના મુખ્ય બજારમાં ગયો ત્યારે તેના પર પથ્થરમારો શરૂ થયો. ઈમરાન સાથે હાજર અન્ય લોકો પર પણ પથ્થરમારો થયો હતો.આ મામલામાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે પથ્થરમારો કરનારા લોકો સામે કલમ 147, 148, 370, 336, 323 લગાવી છે. પથ્થરમારાના આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ચાહકો ઇમરાન હાશ્મીથી નારાજ હતા. વાસ્તવમાં ઇમરાન હાશ્મી હાલમાં જમ્મુ-કાશ્મીરમાં તેની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું શૂટિંગ કરી રહ્યો છે. ઈમરાન લગભગ 14 દિવસ શ્રીનગરમાં હતો. તે શ્રીનગરની એસપી કોલેજમાં શૂટિંગ કરી રહ્યો હતો. ઈમરાન જ્યારે તેનું શૂટિંગ પૂરું કરીને નીકળી ગયો ત્યારે તેણે રાહ જોઈ રહેલા પ્રશંસકો તરફ જોયું પણ નહીં, જેના કારણે લોકો ગુસ્સે થઈ ગયા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,947FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW