રિલાયન્સ રિટેલ આ વર્ષે તેનો દૈનિક ઉપયોગ સામાન (FMCG) બિઝનેસ શરૂ કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણીએ સોમવારે AGMમાં આ માહિતી આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, તેમણે કહ્યું કે આ વ્યવસાયનો ઉદ્દેશ્ય ઉત્પાદનોનો વિકાસ અને વિતરણ કરવાનો છે. ઈશાએ કહ્યું કે એફએમસીજી બિઝનેસ હેઠળ, દરેક ભારતીયની રોજિંદી જરૂરિયાતોને પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરીને પૂરી કરવામાં આવશે. તેણે કહ્યું, ‘આ વર્ષે અમે અમારો FMCG બિઝનેસ શરૂ કરીશું.
આ સિવાય રિલાયન્સ રિટેલ ભારતીય કારીગરો દ્વારા બનાવેલ સામાનનું પણ માર્કેટિંગ કરશે. “ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે, અમે ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયો દ્વારા બનાવવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓનું માર્કેટિંગ શરૂ કરીશું,” તેમણે કહ્યું. આ પગલું રોજગારીની તકો વધારશે તેમજ ભારતીય કારીગરોના કૌશલ્ય અને જ્ઞાનને જાળવવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે, RRVL એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ હેઠળની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે.

