HomeGujaratબોલીવુડ કલાકાર મિથીલેશ ચતુર્વેદીનું અવસાન

બોલીવુડ કલાકાર મિથીલેશ ચતુર્વેદીનું અવસાન

હિન્દી સિનેમામાંથી આજે વધુ એક સ્ટારનું અવસાન થયું છે. બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું લખનૌમાં નિધન થયું છે. મળતી માહિતી મુજબ, તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું અને તેમણે 3 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. મિથિલેશ ચતુર્વેદીને મોડી સાંજે છાતીમાં દુખાવા થયાની ફરિયાદ કરી હતી જેના લીધે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેમની તબિયત વધુ બગડ્યા બાદ તેમને લખનૌ લાવવામાં આવ્યા અને ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અભિનેતા હૃદયની બિમારીથી પીડિત હતા.
મળતી માહિતી મુજબ, મિથિલેશ ચતુર્વેદીને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા, પરંતુ તરત જ તેમને તેમના વતન ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેણે ફિઝા, કોઈ મિલ ગયા, ક્રેઝી 4 અને રેડી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તે સની દેઓલની ‘ગદરઃ એક પ્રેમ કથા’, મનોજ બાજપેયીની ‘સત્યા’, શાહરૂખ ખાનની ‘અશોકા’ સહિત ‘તાલ’, ‘બંટી ઔર બબલી’, ‘ક્રિશ’ અને ‘રેડી’માં જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મ ‘કોઈ… મિલ ગયા’માં તેમનું કામ સૌથી વધુ લોકપ્રિય હતું. આ ફિલ્મમાં તેણે રિતિક રોશનના કોમ્પ્યુટર ટીચરની ભૂમિકા ભજવી હતી.

અહેવાલો અનુસાર, દિવંગત અભિનેતાએ માનિની ડે સાથે ‘ટલી જોડી’ નામની વેબ સિરીઝ પણ સાઈન કરી હતી. ગયા વર્ષે એવા અહેવાલ આવ્યા હતા કે આ અભિનેતાને ઘણી આગામી શ્રેણીઓ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા જો કે, આ સીરીઝ કઈ છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW