રાજયમંત્રી બ્રિજેશ મેરજામાં કોરોનાં લક્ષણ જાણતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં સોશ્યલ મીડિયામાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.

મંત્રી બ્રિજેશ ભાઈ મેરજાએ તેમના સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરવા તેમજ રાજ્યના નાગરિકોને પણ કોરોનાથી સાવધાન રહેવા અને લક્ષણ જણાય તો કોઈ પણ પ્રકારના ભય વિના રીપોર્ટ કરવા પણ અપીલ કરી હતી હાલ તેઓએ પોતે ફોન બંધ કરી હોવાનું જણાવી કામ કામકાજ માટે કાર્યાલય તેમજ ઓફિસ સ્ટાફનો સંપર્ક કરવા જણાવ્યું હતું

