HomeGujaratભારતીય સરહદમા ઘૂસેલા 18 પાકિસ્તાનીઓને ઓખાથી પોરબંદર લઈ જવાયા

ભારતીય સરહદમા ઘૂસેલા 18 પાકિસ્તાનીઓને ઓખાથી પોરબંદર લઈ જવાયા

ઓખા/પોરબંદર, બુધવાર

  ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) અરિંજય અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું એ સમયે ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવેલી 2 પાકિસ્તાની ફિશિંગ બોટ એમની નજરે ચઢી ગઈ હતી. આથી, આ બંને પાકિસ્તાની બોટોને પડકારવામાં આવતા બંને બોટો પાકિસ્તાન તરફ ભાગવા માંડી હતી. જોકે, ICG જહાજે એનો પીછો કરીને બંને બોટને અટકાવી હતી.

   આ બંને બોટ પાકિસ્તાનની જ હોવાનું અને તે ભારતીય જળસીમામાં ઘૂસી આવી હોવાનું ખૂલ્યું હતુ. વધુ તપાસ કરતાં આ બંને બોટ અલ-નૂર-ઉલ-સુબાહ અને અલ-અબ્દુલ-સલામમાં મળીને 18 ક્રૂ મેમ્બર્સ હતા, જે તમામ કરાચીના વતની હોવાનું બહાર આવ્યું હતુ. ICG ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરતાં એમની પાસેથી 60 કિલોના દરિયાઈ શેલ પણ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં બોટની હાજરીને ક્રૂ દ્વારા સમજાવી શકાય તેમ ન હોવાથી વધુ પૂછપરછ માટે બંને બોટને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે લાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ઓખા રાખવામાં આવેલા આ 18 પાકિસ્તાનીઓને હવે પોરબંદર લઈ જવામાં આવ્યા છે. ભારતીય સૂરક્ષા એજન્સીઓ દ્વારા એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે અને ભારતમાં ઘૂસવા પાછળ એના ઈરાદાની ભાળ મેળવવા પણ ઈન્કવાયરી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW